સાવલી વકીલ મંડળ ના વકીલો દ્વારા નીટ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો ઉગ્ર વિરોધ કરી ને મામલતદાર અને પ્રાંત ને આવેદનપત્ર પાઠવ્યું હતું
દેશ ના વિવિધ વિસ્તાર ના વિધાર્થી ઓ દ્વારા જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરી લાઠી ચાર્જ ના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર દેશ નિંદા કરી રહ્યો છે તેવામાં સાવલી વકીલ મંડળ ના વકીલો દ્વારા સમગ્ર બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને
જવાબદારો સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી છે આજરોજ
સાવલી વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને નારેબાજી કરીને આવેદનપત્ર પાઠવ્યું છે

અને વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે વકીલ અગ્રણી શરદ ભાઈ પરમારે જણાવ્યું હતું કે વિધાર્થી ઓ એ દેશનું ભવિષ્ય છે અને દરેક દેશ વાસી ઓને પોતાની માંગ અને ન્યાય માટે આંદોલન અને સત્યાગ્રહ એ બંધારણીય અધિકાર છે અને દેશના ભવિષ્ય સમાન યુવાનો સાથે આ રીતે લાઠી ચાર્જ કરવો એ અત્યાચાર છે અને તેના માટે દોષિતો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે
